દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઇ, એટલી જ સાકર મેળવી, તેની રૂપિયા ભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસિડિટી મટે છે.
સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક-એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
અનાનસના ટુકડા પર સાકર અને મારી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ૪-૫ નંગ કળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
એક થી બે ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણ માં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
આમળાનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
એલચી, સાકર અને કોકમ ની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
ધાણા અને સુંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસિડિટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
સુંઠ, ખડીસાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
અડધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અડધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અડધા કલાક પહેલા લેવાથી એસિડિટી મટે છે.
ભોજનમાંથી ખરા, ખાટા, તીખા, વાસી, ભારે પદાર્થો દુર કરવા, બને તો બે જ ટાઇમ બપોરે-રાત્રે માત્ર દૂધ સાથે જમી લેવું.
અવિપિત્તીકર ચૂર્ણ ભોજન પહેલા આઠમાસા ઠંડા પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
નારીયેલ, ખંડપાકનું સેવન કરવાથી એસિડિટી મટે છે.
આમળાના રસ સાથે ભોજન એસિડિટી થતી અટકાવી દે છે.
Comments
Post a Comment