- જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
- તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયા તાવ મટે છે.
- તુલસીનો રસ - 10 ગ્રામ, આદુનો રસ - 5 ગ્રામ, મેળવીને પીવાથી મલેરિયા તાવ મટે છે.
- ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તાવ ઉતરે છે.
- મલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી, થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે.
- ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- એલચી નંગ - 3, તથા મરી નંગ - 4 રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.
- તુલસીનો રસ - 10 ગ્રામ, મરીનુ ચૂર્ણ - 5 ગ્રામ લઇ તેનું મિશ્રણ કરી અર્ધી ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે.
- વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે.
- શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.
- સંનિપાતના તાવમાં શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિસ કરવાથી આરામ થાય છે.
- હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી ( કપૂર - હિંગવટીની ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે.) , એકથી બે ગોળી લઇ આદુના રસમાં પીવાથી સનેપાત ( લવરી ) નો તાવ મટે છે. અને દર્દી ભાનમાં આવે છે.
- ફ્લૂના તાવમાં 3 તોલા પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર - પાંચ વાર પીવાથી ફ્લૂનો તાવ ઊતરે છે.
- આદુ, લીંબુ, અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ - શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.
- કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઊતરી જાય છે. અને તાવ ઉતર્યા પછી સવાર - સાંજ દોઢ આનીભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
- કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે.
- સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઊતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
- કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, 10 મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે.
- લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
- તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
- ફ્લૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઊતરી જાય છે.
- તુલસીના પાન, અજમો, સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લૂનો તાવ મટે છે.
- પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી 15 - 20 મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લૂનો તાવ - બેચેની મટે છે.
- 10 ગ્રામ ધાણા અને 3 ગ્રામ સૂંઠ લઇ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લૂનો તાવ મટે છે.
- એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- સુદર્શન ચૂર્ણ ઠંડા પાણી સાથે લેવાથી તાવ મટે છે.
- તાવથી સંપૂર્ણ મુક્ત થવા છેલ્લે દ્રાક્ષનો રસ ગરમ પાણી સાથે લેવો.
- કડુનો કવાથ લીંડી - પીપરનું ચૂર્ણ નાખી આપવાથી ઉધરસ, દમ સહિત તાવનો નાશ થાય છે.
Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As" May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014
Comments
Post a Comment