- પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
- જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાંદાના 20 ગ્રામ રસમાં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મૂત્ર દ્વારા નીકળી જાય છે.
- ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઇ પેશાબ વાતે નીકળી જાય છે.
- બડી દૂધ ( દૂધેલી )નાં પાન પાંચ તોલા તથા મેંદીના પાન પાંચ તોલા લઇ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઇ પેશાબ વાટે બહાર આવશે.
- ગોખરુંનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
- કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટે છે.
- મેદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
- મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
- કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
- કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરી ની પીડા માં રાહત થાય છે.
- લીંબુના રસમાં સિંઘવ-મીઠું મેળવીને ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગાયના દૂધની છાસમાં સિંઘવ-મીઠું નાખીને ઉભાં ઉભાં રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
- મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
- મૂળાના બી ચાર તોલા લઇ અર્ધો શેર પાણીમાં ઉકાળવા, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
- ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે.
- ત્રિફળા, ધાણા, ગોખરું, કમળકાકડીના બી, ગરમાળો અને ગળોના ઉકાળામાં મધ નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.
- શીતલપર્પટી જળ સાથે અલ્પમાત્રામાં લેવાથી પથરી ઓગળી જાય છે.
- કુંવારનો રસ હળદર નાખીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- અધેડાના ફળ ગોળમાં ખાવાથી પથરી ઓગળી જાય છે.
- કોળાના રસમાં જવખાર અને ગોળ નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.
- શિલાજીત, અરડૂસીના પાન, જવખાર, પાષાણભેદ, નગોડના પાન, એરંડીના મૂળ તો - 5-5 લઇ ચૂર્ણ કરી 14 ભાગ કરવા. રોજ એક ભાગ ઉકાળી તેમાં એરંડિયું તેલ તો - 2 નાખી 14 દિવસ સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
- વાયવરણાની છાલના ઉકાળામાં જવખાર નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.
- સાટોડીના મૂળિયાં તો - 2નો ક્વાથ જવખાર નાખીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગોખરું, પાષાણભેદ, વાયવરણાની છાલ, કાકડીના મીંજ, સુખડ, ચણકબાબનું ચૂર્ણ લેવાથી પથરી ઓગળી જાય છે.
Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As" May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014
Comments
Post a Comment