Skip to main content

Posts

Showing posts from 2014

ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી | Know the Signals of You Are Vitamin Deficient

Know the Signals of You Are Vitamin Deficient ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી ને તેની પૂર્તિ કરી જીવો સ્વસ્થ જીવન! Vitamin Chart મોઢામાં ચીરા કે ચાંદા પડવા આ નિયાસિન (બી 3), રાઈબોફ્લેવિન (બી 2) અને બી 12, આયરન , ઝિંક અને વિટામિન બીની કમીના લક્ષણ છે. શાકાહારી લોકોને મોટાભાગે આ સમસ્યા થતી હોય છે. જેથી આવા વિટામિન્સની કમીને દૂર કરવા માટે દાળ , ઈંડા , માછલી , ટ્યૂના , ક્લેમ , ટામેટા , મગફળી અને ફલીઓનું વધુને વધુ સેવન કરવું જોઈએ. ચહેરા પર લાલ દાણા કે વાળ ખરવા આ સમસ્યા મોટાભાગે બાયોટિન (બી 7) જે હેયર વિટામિનના માનથી પણ ઓળખાય છે જેની કમીને કારણે થાય છે. જ્યારે તમારું શરીર ફેટમાં ઘુલનશીલ વિટામિન (જેમ કે એ , ડી , ઈ , કે ) વગેરે શોષે છે ત્યારે આ પાણીમાં ઘુલનશીલ , વિટામિન બીને નષ્ટ કરે છે. જેનાથી બચવા માટે પકવેલા ઈંડા , સામન ફિશ , એવકાડો , મશરૂમ , કોબીજ , સોયાબીન , નટ્સ , રાસભરી અને કેળાનું સેવન કરવું જોઈએ. ઘાવ કે સફેદ દાણા (ગાલ , જાંઘ અને કૂલ્હા પર) આ સમસ્યા સામાન્ય રીતે ફેટી એસિડ અને વિટામિન એ અને ડીની કમીને કારણે થાય છે. તેના

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન

વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના લાભો પાછળનું વિજ્ઞાન આપણે બધા જાણીએ છીએ કે વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે અને એ જરૂરી છે, જેમકે જો તમારે વજન ઘટાડવું હોય તો સવાર માં વહેલા ઉઠીને ચાલવા જાઓ ઘણો ફાયદો થશે, આજે અમે તમને જણાવીશું વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાના બીજા ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદા ! (૧) જરૂરિયાત મુજબનું પાણી પીવાથી શરીરનું લસિકાતંત્ર સંતુલિત કરે છે. આ એક સતત ગતિ તમારા હૃદય સુધી પહોંચવા માટે લસિકા મદદ કરે છે. આ લસિકા ગ્રંથીઓ શરીરને ચેપ સામે લડાઈ માં મદદ કરે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. (૨) વહેલી સવારે નયણાં કોઠે પાણી પીવાથી રક્ત માં રહેલા ઝેરી તત્વો નાશ પામે છે અને ત્વચા ને કુદરતી નિખાર આપે છે. (૩) વહેલી સવારે પાણી પીવાથી ચયાપચયની ક્રિયામાં 25% સુધી વધારો થાય છે અને એના દ્વારા આપો આપ વજન પણ ઘટે છે. (૪) શરીર માં પાણીની જરૂરિયાત ખુબજ હોય છે અગર જો શરીરમાં પાણી ઓછું હોય તો માથાનો દુઃખાવો શરીર ની બળતરા જેવા રોગ થાય છે જે આપણે વહેલી સવારે પાણી પીને આવા રોગ દુર કરી શકીએ છીએ. (૫) વહેલી સવારે પાણી પીવાથી શરીરની ક્ર

બાળકને મારશો નહી

બાળકને મારશો નહીં .... દરેક માં-બાપ આ લેખ વાંચે એવી ભલામણ બાળકને મારશો નહીં .... બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે. પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસન