આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે દાળવડા શિયાળો હોય કે ચોમાસુ , ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. સારા મૂડમાં રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થાય તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. ઘરે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય. ઘરે પણ તમે સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવા માંગતા હોવ તો આ રહી રેસિપી. ü 3 વ્યક્તિ માટે દાળવડા બનાવવા માટે તમારે અંદાજે નીચે મુજબની સામગ્રી જોઈશે ü 1 કપ મગની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો) . ü 1 કે 2 લીલા મરચા . ü અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ . ü ચપટી હીંગ . ü 1 મોટી ચમચી મરી . ü 1 મોટી ચમચી ધાણા . ü જરૂર પ્રમાણે પાણી . ü સ્વાદાનુસાર નમક . ü તળવા માટે તેલ . કેટલો સમય પલાળવી દાળ ? મગની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. ખીરુ બનાવવાની રીતઃ દાળ પલળી જાય પછી ગ્રાઈન્ડરમાં નાંખીને દાળન
Kingamrish is a blog that offers a unique perspective on technology, business, and lifestyle topics. From the latest gadgets and software to the hottest trends and innovative ideas, we cover it all. Our posts are informative, engaging, and easy to understand, making them perfect for anyone interested in staying up-to-date with the latest news and developments in the digital world. Whether you're a tech enthusiast, a business owner, or simply curious about the world around you,