Skip to main content

પથરી


ચુપચાપ બને છે શરીરમાં પથ્થર,( પથરી )
આ સારવારથી સ્ટોન કરો ચકનાચૂર.............

અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવો પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા મળતી હોય છે. પેટદર્દ કે મૂત્રમાં અડચણને લોકો સામાન્ય રીતે વધુ ગંભીરતાથી નથી લેતા. પરંતુ ઘણીવાર વારંવાર થતું પેટદર્દ કોઈ મોટી બીમારી તરફ સંકેત આપે છે. પથરી એક એવી બીમારી છે

જેથી આજે અમે તમને પથરી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે પથરી ક્યારે થાય છે, કેમ થાય છે, તેની યોગ્ય સારવાર શું છે, પથરી ફરી ન થાય તે માટે શું કરવું વગેરે તમારા સવાલોના જવાબ આજે અમે તમને આપીશું.

આગળ વાંચો પથરીથી બચવા માટે શું કરવું તથા કઈ રીતે દેશી ઉપાય અપનાવવો.....

પથરી શેની બનેલી હોય છે?

કીડનીની પથરી અનેક જાતના જુદાં જુદાં રસાયણિક સંયોજનોથી બનેલી હોય છે. મોટા ભાગની (65 %) પથરીઓ કેલ્શિયમ ઓક્ષેલેટ નામનાં રસાયણથી બને છે. 15 ટકા જેટલી પથરીમાં એમોનીયમ મેગ્નમેસિયમ ફોસ્ફેટ, 10 ટકા જેટલી પથરીમાં કેલ્શિયમ ફોસ્ફેટ, 5 ટકા પથરીમાં યુરિક એસિડ હોય છે. પથરીના પ્રકાર પ્રમાણે એ બનવાનાં કારણો પણ જુદાં-જુદાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં પથરી બનવાનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી.

પથરી બનવા માટે જવાબદાર પરિબળો કયાં?

પથરીનો ઉદભવ શા માટે થાય છે એ હજી સુધી બહુ સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ કેટલાંક પરિબળો પથરી બનાવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે એવું જાણવા મળ્યું છે. કીડનીનું કામ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખી બિનજરૂરી તત્વોને શરીરની બહાર કાઢવાનું છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ ઉભી થાય ત્યારે કીડની એવો પ્રયત્ન કરે છે કે ઓછામાં ઓછું પાણી અને વધુમાં વધુ કચરો પેશાબ વાટે બહાર નીકળે. આને કારણે જ પેશાબ ઘટ્ટ થાય છે અને પેશાબમાં નીકળતાં તત્વોની સાંદ્રતા (કોન્સન્ટ્રેસન) વધી જાય છે. જે વખતે પેશાબ ખૂબ સાંદ્ર થઇ જાય ત્યારે એમાં ક્રીસ્ટલ (કણો) થવા લાગે છે અને એક વખત ક્રીસ્ટલ બને પછી એની ઉપર વધુને વધુ તત્વો એમાં ઉમેરાતા જાય છે અને જોતજોતામાં પથરી બની જાય છે

આ ઉપરાંત, પેશાબનો ચેપ, વિટામીન એ ની ઉણપ વગેરે પરિબળો પણ પથરીની શરૂઆતમાં જવાબદાર હોય છે. શરીરમાં અંત:સ્ત્રાવોનું સંતુલન ખોરવાઇ જાય (દા.ત. પેરાથાઇરોઇડ હોર્મોન વધી જાય) ત્યારે પેશાબ વાટે વધુ કેલ્શિયમ બહાર નીકળે છે અને પથરી થવાની શક્યતા વધી જાય છે. લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી હાડકાનું કેલ્શિયમ ઓછું થવા લાગે અને પેશાબ વાટે નીકળવા લાગે છે અને પથારીવશ સ્થિતિમાં કીડનીમાં પેશાબનો ભરાવો પથરી માટે જવાબદાર બને છે.

પેશાબમાં સાઇટ્રેટ અને કોલોઇડલ પદાર્થોનું પ્રમાણ ઘટે ત્યારે પણ પથરી થવાની શક્યતા વધી જાય છે. ગાઉટ તરીકે ઓળખાતી અન્ય એક બિમારીમાં યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધી જાય છે જેને લીધે એક્ષ-રે માં ન દેખાય (પણ સોનોગ્રાફીમાં દેખાય) એવી યુરિક એસિડની પથરી બને છે. આ સિવાય બીજી અનેક જાતની પથરીઓ જુદાં જુદાં કારણોસર બનતી હોય છે.

કીડનીમાં પથરી છે એની ખબર કઇ રીતે પડે?

ઘણાં લોકોને પોતાના શરીરમાં પથરી છે એની ખબર વર્ષો સુધી નથી પડતી. જે પથરી કીડનીની અંદરના ભાગમાં રહે અને ખસે નહીં એ પથરીને કારણે કોઈ બાહ્ય તકલીફ વ્યક્તિને જણાતી નથી. જ્યારે પથરી કીડનીમાંથી મૂત્રવાહિની તરફ આવે ત્યારે દુ:ખાવો અને અન્ય તકલીફો થાય છે. પીઠની એક બાજુથી જાંઘ સુધીનો દુ:ખાવો મૂત્રવાહિનીની પથરીને કારણે થાય છે. મૂત્રાશય ( બ્લેડર) સુધી પથરી પહોંચે ત્યારે વારંવાર પેશાબ થવો, પેશાબમાં બળતરા થવી અને પેશાબ માટે ઝડપથી દોડવું પડે એવી સ્થિતિ થાય છે.
કીડની અને મૂત્ર માર્ગનો એક્ષ-રે કરવાથી મોટા ભાગની કેલ્શિયમયુક્ત પથરીઓ જોઇ શકાય છે. ઘણી વખત બીજા કોઇ કારણસર એક્ષ-રે કરાવ્યો હોય અને અકસ્માત જ પથરી દેખાય જાય એવું બને છે. પથરીનું ચોક્કસ સ્થાન જાણવા ઇન્ટ્રાવીનસ પાયલોગ્રાફી નામની તપાસ કરવામાં આવે છે. જેમાં કીડનીની કામગીરીનો પણ થોડોક અંદાજ આવે છે. અલ્ટ્રાસોનોગ્રાફીની તપાસમાં પણ કીડનીની પથરીનું કદ તથા પથરીને કારણે પેશાબ માર્ગમાં મોટો અવરોધ કરે તો છેવટે કીડનીને ભારે નુકશાન થઇ શકે છે અને આવા દર્દીઓમાં પથરીને ઓપરેશન દ્વારા કે અન્ય કોઇ રીતે કાઢવી જરૂરી બની જાય છે.

પથરીની સારવાર શું?

જો પથરી પેશાબમાં અવરોધ કરતી હોય, ચેપ લાગવા માટે જવાબદાર હોય, અસહ્ય વેદના કરતી હોય કે પેશાબ વાટે લોહી જતું હોય તો એ પથરી કાઢવી જરૂરી બની જાય છે. નાની પથરી વધુ પાણી-પ્રવાહી પીવાથી નીકળી જાય છે. મોટી પથરી કાઢવા માટે ઓપરેશન કરવું પડે અથવા લીથોટ્રીપ્સી નામની પદ્ધતિથી પથરી તોડીને પેશાબ વાટે કાઢવી પડે. એકસ્ટ્રા કોર્પોરીયલ લીયોટ્રીપ્સીમાં કીડનીની પથરી ઉપર શોક વેવ્સનો મારો (શરીરમાં એકપણ કાપો મૂક્યા વગર) ચલાવવામાં આવે છે. જેને લીધે પથરીનો ભૂકો થઇ જાય છે અને એ પેશાબ વાટે નીકળી જાય છે. પરક્યુટેનિયસ અલ્ટ્રાસોનિક લીથોટ્રીપ્સમાં એક ભૂંગળી જેવું સાધન કીડની સુધી નાંખવામાં આવે છે અને ભૂકો કરી નાંખેલ પથરીને સીધી બહાર ખેંચી લેવામાં આવે છે. લેસર લીથોટ્રીપ્સી વાયા યુરેટેરોસ્કોપની નવી પદ્ધતિમાં યુરેટર (મૂત્રવાહિની) ની પથરી દૂરબીન (સ્કોપ) જેવું સાધન પથરી સુધી લઇ જઇ પથરી તોડી બહાર ખેંચી લેવામાં આવે છે.

એકવાર કાઢ્યા પછી પથરી ફરી વખત થઇ શકે?

પથરી એ વારંવાર થયા કરતી તકલીફ છે. કેલ્શિયમની પથરી દસ વર્ષના ગાળામાં 60 ટકા લોકોમાં બીજી વખત થાય છે. જેને થાય એને સામાન્ય રીતે સરેરાશ દર બે-ત્રણ વર્ષે એક નવી પથરી બને છે.

પથરી વારંવાર ન થાય એ માટે શું કાળજી રાખવી?

સૌથી અગત્યની કાળજી છૂટથી પ્રવાહી પીવાની છે. રોજનું બે લીટર પેશાબ થાય એટલું પ્રવાહી (પાણી, ફળનો રસ, નારિયેળ પાણી, શરબત કે અન્ય પ્રવાહી) પીતા રહેવું જોઇએ. પથરીથી દૂર રહેવાનો એ એક સૌથી અગત્યનો ઉપાય છે. કોઇ પણ વખત લાંબા સમય સુધી તરસ્યા રહેવું નહીં. આ ઉપરાંત, પથરીનો પ્રકાર અને આંતરિક તકલીફ જાણી લઇને એ મુજબ તરત સારવાર કરવી પડે. કેલ્શિયમ ઓક્સેલેટ સ્ટોન માટે પાલક જેવી ભાજીઓ, સ્ટ્રોબરી, ચોકલેટ, બીટ, ચા અને ઘઉંનું બહારનું પડ ખવાથી દૂર રહેવું જોઇએ. યુરિક એસિડ સ્ટોન માટે માંસાહાર બિલકુલ બંધ કરવો જોઇએ. આમ, પથરીના પ્રકાર મુજબ ડોક્ટરની સલાહથી ખોરાકમાં પરિવર્તન અને વધુ પ્રવાહી લેવાથી પથરીની તકલીફ આગળ વધતી અટકાવી શકાય છે.

પથરી દૂર કરવા માટે કેટલાક આયુર્વેદિક નુસખા અને સામાન્ય લક્ષણો-

કબજિયાત કે ઝાડા લગાતાર રહેવા, ઊલટી જેવી બેચેની રહેવી, થાક, તીવ્ર પેટ દર્દ થોડી મિનિટ કે પછી કલાકો સુધી ચાલતા રહેવું. મૂત્ર સંબંધી સંક્રમણની સાથે જ બુખાર, કપકપી, પસીનો આવવો. પેશાબની સાથે-સાથે દર્દ થવું વારંવાર અને એકાએક પેશાબ આવવો, અટકી-અટકીને પેશાબ આવવો, રાત્રે વધુ પેશાબ આવવો, મૂત્રમાં રક્ત આવવું, પેશાબનો રંગ અસામાન્ય થવો.

-તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે. જો મૂત્ર પિંડમાં પથરી થઈ હોય ને પેશાબ અટકી-અટકીને આવવાનું ચાલું થઈ ગયું હોય તો એક ગાજર રોજ ખાવાનું ચાલું કરી દેવું જોઈએ.

-રાત્રે એક લિટર કળથી પાણીમાં ભિંજવી દો. સવારે એ કળથીને એ જ પાણી સહિત ધીમી આગ ઉપર ચાર કલાક પકાવો. 1 લિટર પાણી રહી જાય ત્યારે નીચે ઊતારી લો. પછી 40 અને50 ગ્રામ(પાચન શક્તિ પ્રમાણે) દેશી ઘીથી વઘાર કરો. વઘારમાં સિંધુ નમક, કાલી મરી, જીરૂ, હળદર નાખી દો. પથરીનાશક ઔષધી તૈયાર.

પથરીથી બચવાના ઉપાયઃ-

-વધુ પાણી પીવો.

-ખોરાકમાં પ્રોટીન, નાઈટ્રોજન અને સોડિયમની માત્ર ઓછી રાખવી.

-ચોકલેટ, સોયાબીન, મગફળી, પાલક વગેરેનું સેવન ઓછું કરવું.
-જરૂરિયાત કરતા વધુ કોલ્ડડ્રિન્ક્સ પણ નુકસાન પહોંચાડે છે.

-વિટામીન-સીની વધુ માત્ર ન લેવામાં આવે.
-નારંગી વગેરેનો રસ(જ્યૂસ) લેવાથી પથરીનું દર્દ ઓછું થાય છે.

-દર મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.

- એક મૂળાને કાળા પાડીને તેમાં 20-20 ગ્રામ ગાજર શલગમના બીજ ભરી દો, ત્યારબાદ મૂળાને શેકી લો, ત્યારબાજ મૂળામાંથી બીજ કાઢી પીસી લો. સવારે પાંચ કે છ ગ્રામ પાણીની સાથે એક મહિના સુધી પીતા રહો, પથરી અને પેશાબની બીમારીઓમાં ફાયદો મળશે.

-જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.

-જીરાને ખાંડીને ચાસણી બનાવી તેમાં કે મધની સાથે લેવાથી પથરી પેશાબ વાટે બહાર નિકળી જાય છે.


લિ. અમરીશ પટેલ 

Comments

Popular Posts

Calendar 2014 Gujarati (ગુજરાતી કેલેન્ડર-૨૦૧૪ )

Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪  (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As"  May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014       

Jan Gan Man | જન ગણ મન અધિનાયક જય હે

H A P P Y I N D E P E N D E N C E D A Y જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી , 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું જન ગણ મન અધિનાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા  પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગ , વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગ , તવ શુભ નામે જાગે , તવ શુભ આશીષ માંગે , ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા , જય હે... જય હે... જય હે... જય જય જય જય હે! અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

શ્રી સત્યનારાયણ કથા | Styanarayn ni katha

સજ્જનો!  એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. “એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોના દે

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…     અનુક્રમણિકા અ અડદિયા આ આદુપાક આલૂ સેવ ઈ ઈદડા ઈન્સ્ટન્ટ રબડી ઉ ઉપમા એ એગલેસ ચોકલેટ સ્પન્જ કેક ઓ ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્ ક કચોરી કાજુ કતરી કાશ્મીરી પુલાવ કેબૅજ પનીર કોન કોફતા કરી કોબી પાલકના મુઠીયા ખ ખાંડવી (પાટવડી) ગ ગાજરનો હલવો ગ્રીન ફ્રુટ મઠો ઘ ઘૂઘરા ચ ચકરી ચટણી - સેવ - દહીંપુરી ચટપટા પરાઠા ચટપટી ભેળ ચોકો કોકો રોલ્સ જ જલેબી અને પાપડી ગાંઠીયા ટ ટમેટો સૂપ ઢ ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ ઢોસા ત ત્રણ પડવાળી ઘારી દ દહીંવડા દાબેલી દાલ બાટી દાલમખની દાળવડા દૂધીના કોફતા વીથ કાજૂ કરી ન નાયલોન ખમણ ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી... પ પંજાબી છોલે પનીર વેજ મસાલા પાલક મગદાળના પરાઠા પૌંઆનો ચેવડો ફ ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ ફાડા લાપસી બ બફવડા બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ ભ ભરેલા મસાલા ભીંડા ભરેલા રવૈયા બટાકા મ મકાઈની ખાંડવી મગની દાળ -સાબુદાણાની ઉપમા મગની દાળના ચીલા મજેદાર પાતરા મસાલા કોર્ન મસાલા મગ મિક્સ દાળ હાંડવો મોહનથાળ ર રતલ

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છે. ચૈત્ર માસમાં લીમડાના સેવન

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

Read Gujarati PDF

Download Gujarati PDF File Click On Image to Download OR save as ... For More Gujrati Health Book Click Hear (Source :- http://jivanshaili.in)

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત , Powerful ways to Kill Mosquitoes

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત.   Powerful ways to Kill Mosquitoes વરસાદ નો મોસમ સારો તો ખૂબ લાગે છે પણ આ મોસમ માં મચ્છર ખૂબ પરેશાન કરે છે અને એમના દ્વારા બીમારીઓ પણ ફેલાય છે.આવી રીત ની સમસ્યાઓ થી બચવા માટે આપણે ઘણી રીત ના કેમિકલ યુક્ત કોઈલ અને લિકવિડ કે ન જાણે કેનો કેનો ઉપયોગ કરીએ છીએ જેથી એના થી બચી શકાય. આ બધી વસ્તુ ઓ આપણ ને મચ્છરો થી થોડા સમય માટે રાહત આપે છે પણ એમાં એટલા ખાતરનાખ કેમિકલ હોય છે જે કોઈ ને પણ આરામ થી એલર્જી જેવી બીજી ઘણી પરેશાનીઓ માં નાખી શકે છે. એવું જરૂરી નથી કે મચ્છરો અને માખીઓ ને દૂર કરવા માટે તમે કોઈ કોઈલ કે સ્પ્રે નો જ ઉપયોગ કરી શકો. તમે એના માટે કોઈ ઘરેલુ ઉપાયો નો પ્રયોગ કરી ને પણ રાહત મેળવી શકો છો. 1. નીમ અને લવેન્ડર નું તેલ નીમ માં એન્ટીબેક્ટેરિયલ ના ગુણ હોય છે. ઘણી શોધ માં એ સામે આવ્યું છે કે નીમ / લીમડા ના તેલ માં મચ્છરો ભગાડવા વાળા કેમિકલ વાળા સ્પ્રે અને કોઈલ ના ઉપયોગ થી 10 ગુણા વધુ અસરકારક છે. આ સાવસ્થ્ય ઉપર કોઈ પણ રીતે નુક્શાનદાયક પણ નથી. નીમ અને લવેન્ડર ના તેલ બંને ને બરાબર માત્રા માં ભેળવી ને તમારી સ્કિન ઉ

Gujarati Songs Lyrics

Gujarati Songs Lyrics, Gujarati Lagna Geet, Garba, English Translation " Gujarati Songs Lyrics" "Navratri  Gujarati Garba Lyrics"   "Gujarati Garba Lyrics"  "Gujarati Garba Songs Lyrics" Jay Adhya Shakti Navratri Aarti Lyrics  He Mari Mahisagar Lyrics હે મારી મહિસાગરને આરે Vishvambhari Akhil Stuti Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo Lyrics Madi Taru Kanku Kharya Lyrics Hu Tau Gayi Ti Mele Lyrics Maniyaro Te Halu Halu Lyrics Ma Pava Te Gadhthi Utarya Mahakali Re Lyrics Unchi Talavadi Ni Kor Lyrics Nagar Nandji Na Lal Lyrics Tara Vina Shyam Mane Lyrics Amba Abhay Pad Dayani Re Lyrics   અંબા અભય પદ દાયિની રે Aasmani Rangni Chunddi Re Lyrics આસમાની રંગની ચૂંદડી રે Adhya Shakti Tujne Namu Lyrics આદ્ય શક્તિ તુજને નમુ Chapti Bhari Chokha Lyrics ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો Chararr Chararr Maru Chakdol Lyrics ચરર ચરર મારું ચકડોળ Chelaji Re Lyrics છેલાજી રે Darshan Aapo Ne Maat Lyrics દર્શન આપોને માત Dudhe Te Bhari Lyrics દુધે તે ભરી

તાવ આવે તો શું કરવાનું ?

જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયા તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, આદુનો રસ - 5 ગ્રામ, મેળવીને પીવાથી મલેરિયા તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તાવ ઉતરે છે. મલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી, થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે. એલચી નંગ - 3, તથા મરી નંગ - 4 રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, મરીનુ ચૂર્ણ - 5 ગ્રામ લઇ તેનું મિશ્રણ કરી અર્ધી ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથ