Skip to main content

બાળકને મારશો નહી

બાળકને મારશો નહીં ....


દરેક માં-બાપ આ લેખ વાંચે એવી ભલામણ


બાળકને મારશો નહીં ....

બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.

પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ?

આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :

[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.

[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.

[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.

[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.

[5] બાળકને વિચારવાનો સમય આપો : બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.

[6] ઘર્ષણ ટાળો : બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’

[7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો : બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.

[8] તમારા જૂના દિવસોને યાદ કરો : તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.

[9] પોતાની જાત માટે થોડો સમય કાઢો : જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે.

Comments

Popular Posts

Calendar 2014 Gujarati (ગુજરાતી કેલેન્ડર-૨૦૧૪ )

Calendar 2014 Gujarati ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪  (Source :- http://www.bhujmandir.org/pages/calendar-aug-2013-dec-2014 ) To Save Right Click Mouse On Month "Save Target As"  May - 2014 June - 2014 July - 2014 August - 2014 December - 2013 September - 2014 January - 2014 October - 2014 February - 2014 November - 2014 March - 2014 December - 2014 April - 2014       

Jan Gan Man | જન ગણ મન અધિનાયક જય હે

H A P P Y I N D E P E N D E N C E D A Y જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...ગીત દેશનું રાષ્ટ્રગીત છે. જેનો એક એક શબ્દ દેશ ભક્તિથી છલોછલ છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી , 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું જન ગણ મન અધિનાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા  પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્‍કલ બંગ , વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા ઉચ્‍છલ જલધિ તરંગ , તવ શુભ નામે જાગે , તવ શુભ આશીષ માંગે , ગાહે તવ જયગાથા જન ગણ મંગલદાયક જય હે , ભારત ભાગ્‍યવિધાતા , જય હે... જય હે... જય હે... જય જય જય જય હે! અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

શ્રી સત્યનારાયણ કથા | Styanarayn ni katha

સજ્જનો!  એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં. “એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોના દે

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…

દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…     અનુક્રમણિકા અ અડદિયા આ આદુપાક આલૂ સેવ ઈ ઈદડા ઈન્સ્ટન્ટ રબડી ઉ ઉપમા એ એગલેસ ચોકલેટ સ્પન્જ કેક ઓ ઓટ એન્ડ રેઝિન કૂકીઝ્ ક કચોરી કાજુ કતરી કાશ્મીરી પુલાવ કેબૅજ પનીર કોન કોફતા કરી કોબી પાલકના મુઠીયા ખ ખાંડવી (પાટવડી) ગ ગાજરનો હલવો ગ્રીન ફ્રુટ મઠો ઘ ઘૂઘરા ચ ચકરી ચટણી - સેવ - દહીંપુરી ચટપટા પરાઠા ચટપટી ભેળ ચોકો કોકો રોલ્સ જ જલેબી અને પાપડી ગાંઠીયા ટ ટમેટો સૂપ ઢ ઢોકળા - ગુજરાતની સ્પેશિયાલિટિ ઢોસા ત ત્રણ પડવાળી ઘારી દ દહીંવડા દાબેલી દાલ બાટી દાલમખની દાળવડા દૂધીના કોફતા વીથ કાજૂ કરી ન નાયલોન ખમણ ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી... પ પંજાબી છોલે પનીર વેજ મસાલા પાલક મગદાળના પરાઠા પૌંઆનો ચેવડો ફ ફણગાવેલા ઘઉં અને કોબીજનો પુલાવ ફાડા લાપસી બ બફવડા બૅક્ડ સ્પેગેટિ વીથ પાઈનેપલ ભ ભરેલા મસાલા ભીંડા ભરેલા રવૈયા બટાકા મ મકાઈની ખાંડવી મગની દાળ -સાબુદાણાની ઉપમા મગની દાળના ચીલા મજેદાર પાતરા મસાલા કોર્ન મસાલા મગ મિક્સ દાળ હાંડવો મોહનથાળ ર રતલ

Neem Tree - લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો

Neem Tree -   લીમડો - સ્વાદ માં કડવો અને ગુણમાં મીઠો એવા લીમડો Neem Tree ચૈત્રી દનૈયા અને વૈશાખી વાયરામાં લીમડાની શીતળ છાયા અત્‍યાધુનીક કં ૫ નીના એસી કરતા વધુ શીતળતા આપે છે. ઉનાળાની બપોરે ગામના ગોંદરે ઢોલીયો ઢાળીને સુતા વડિલો માટે લીમડો નેચરલ એસીનું કામ કરે છે. આવા આ લીમડાનું શાસ્ત્રીય નામ એજાડીરેક્‍ટા ઇન્‍ડીકા છે. આ ૫ ણાં દેશમાં દરેક સ્‍થળે લીમડો જોવા મળે છે કારણ તેનું મુળ વતન જ દક્ષિણ એશિયા છે. ધન્‍વંતરી નિદ્યૂંટકે લીમડાની ત્રણ જાત વર્ણવી છે. ( ૧ ) લીમડા અથવા કડવો લીમડો ( ૨ ) બકમ લીમડો અને ( ૩ ) મીઠો લીમડો જેમાં પ્રથમ બન્‍ને એક કુળના છે જયારે મીઠો લીમડો લીંબુના કુળનો છે. ઉનાળાની બપોરે શીતળ છાંયડો આપતો લીમડો ઘર આંગણાનું ઉત્તમ ઔષધ છે એટલું જ નહિં લીમડો માતાના ધાવણની જેમ નિર્દોષ છે. લીમડો   ૧૦૦   થી   ૧૨૫   જેટલા કિટકો તથા વનસ્‍પતિજન્‍ય જીવાણુંઓને કાબુમાં રાખી શકે છે. લીમડો જીવાણું ,   વિષાણું અને મધુપ્રમેહ વિરોધી ગુણો ધરાવે છે. ચૈત્ર માસમાં રોજ સવારે લીમડાનો મ્‍હોર કે પાનને વાટી પીવાથી બારેમાસ તાવ આવતો નથી તે વિધાનમાં ઘણું વજુદ છે. ચૈત્ર માસમાં લીમડાના સેવન

અંબોઈ - પિચોટી ખસી જ્યાં તો ...

અમ્બોઈ ખસી ગઈ પિચોટી-અંબોઈ પિચોટી ખસી જતી નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે. પેચોટી ને દ.ગુજરાત માં અમ્બોઈ કહે છે. દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,  તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી ,  એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી ,  થોડોક અદ્ધર એક બે મિનીટ માટે ,  ઝાલી રખાતો.   આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી ,  એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો ;  અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

Read Gujarati PDF

Download Gujarati PDF File Click On Image to Download OR save as ... For More Gujrati Health Book Click Hear (Source :- http://jivanshaili.in)

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત , Powerful ways to Kill Mosquitoes

મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી સેહલી અને પાવરફુલ રીત.   Powerful ways to Kill Mosquitoes વરસાદ નો મોસમ સારો તો ખૂબ લાગે છે પણ આ મોસમ માં મચ્છર ખૂબ પરેશાન કરે છે અને એમના દ્વારા બીમારીઓ પણ ફેલાય છે.આવી રીત ની સમસ્યાઓ થી બચવા માટે આપણે ઘણી રીત ના કેમિકલ યુક્ત કોઈલ અને લિકવિડ કે ન જાણે કેનો કેનો ઉપયોગ કરીએ છીએ જેથી એના થી બચી શકાય. આ બધી વસ્તુ ઓ આપણ ને મચ્છરો થી થોડા સમય માટે રાહત આપે છે પણ એમાં એટલા ખાતરનાખ કેમિકલ હોય છે જે કોઈ ને પણ આરામ થી એલર્જી જેવી બીજી ઘણી પરેશાનીઓ માં નાખી શકે છે. એવું જરૂરી નથી કે મચ્છરો અને માખીઓ ને દૂર કરવા માટે તમે કોઈ કોઈલ કે સ્પ્રે નો જ ઉપયોગ કરી શકો. તમે એના માટે કોઈ ઘરેલુ ઉપાયો નો પ્રયોગ કરી ને પણ રાહત મેળવી શકો છો. 1. નીમ અને લવેન્ડર નું તેલ નીમ માં એન્ટીબેક્ટેરિયલ ના ગુણ હોય છે. ઘણી શોધ માં એ સામે આવ્યું છે કે નીમ / લીમડા ના તેલ માં મચ્છરો ભગાડવા વાળા કેમિકલ વાળા સ્પ્રે અને કોઈલ ના ઉપયોગ થી 10 ગુણા વધુ અસરકારક છે. આ સાવસ્થ્ય ઉપર કોઈ પણ રીતે નુક્શાનદાયક પણ નથી. નીમ અને લવેન્ડર ના તેલ બંને ને બરાબર માત્રા માં ભેળવી ને તમારી સ્કિન ઉ

Gujarati Songs Lyrics

Gujarati Songs Lyrics, Gujarati Lagna Geet, Garba, English Translation " Gujarati Songs Lyrics" "Navratri  Gujarati Garba Lyrics"   "Gujarati Garba Lyrics"  "Gujarati Garba Songs Lyrics" Jay Adhya Shakti Navratri Aarti Lyrics  He Mari Mahisagar Lyrics હે મારી મહિસાગરને આરે Vishvambhari Akhil Stuti Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo Lyrics Madi Taru Kanku Kharya Lyrics Hu Tau Gayi Ti Mele Lyrics Maniyaro Te Halu Halu Lyrics Ma Pava Te Gadhthi Utarya Mahakali Re Lyrics Unchi Talavadi Ni Kor Lyrics Nagar Nandji Na Lal Lyrics Tara Vina Shyam Mane Lyrics Amba Abhay Pad Dayani Re Lyrics   અંબા અભય પદ દાયિની રે Aasmani Rangni Chunddi Re Lyrics આસમાની રંગની ચૂંદડી રે Adhya Shakti Tujne Namu Lyrics આદ્ય શક્તિ તુજને નમુ Chapti Bhari Chokha Lyrics ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો Chararr Chararr Maru Chakdol Lyrics ચરર ચરર મારું ચકડોળ Chelaji Re Lyrics છેલાજી રે Darshan Aapo Ne Maat Lyrics દર્શન આપોને માત Dudhe Te Bhari Lyrics દુધે તે ભરી

તાવ આવે તો શું કરવાનું ?

જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયા તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, આદુનો રસ - 5 ગ્રામ, મેળવીને પીવાથી મલેરિયા તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તાવ ઉતરે છે. મલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી, થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે. એલચી નંગ - 3, તથા મરી નંગ - 4 રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. તુલસીનો રસ - 10 ગ્રામ, મરીનુ ચૂર્ણ - 5 ગ્રામ લઇ તેનું મિશ્રણ કરી અર્ધી ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથ